વળી બીજી વાત જુઓ. ઓલ્યો કજિયો થયો ત્યારે મહારાજ ડોશીના લૂગડાં પહેરીને દરબારમાંથી ભાગ્યા ને બીજે ઠેકાણે કહ્યું જે, ‘મને ભારામાં બાંધીને કાઢો’ એમ કહ્યું ત્યારે શું થયું ? શ્રીકૃષ્ણ જરાસંઘ આગળ ભાગ્યા હતા ને ? એ તો શૂરતા-કાયરતા, હારવું-જીતવું, પારકું-પોતાનું, ભૂખ-તરસ, પક્ષપાત એવા ચરિત્ર એને વિષે રહ્યાં છે. ।।૨૩૩।।