ભૂજમાં સુંદરજી સુતારને કહેઃ ‘અમને સંતાડી મૂકો, નીકર તમને દુઃખ થાશે’ એમ કહીને સંતાઇ રહ્યા, ને જયારે ફોજ એના ઘર ઉપર આવી અને તોપું માંડીને પૂછ્યું જે, ‘આંહીં સ્વામિનારાયણ છે ?’ તો કહે ‘ના’ ત્યાં તો મહારાજ બહાર નીકળ્યા. જુઓ, હવે ત્યારે એ તે શું ભગવાન ન હોતા જાણતા જે એમ કહ્યું ? પછી તો ઓલ્યાને લાખો માણસ દેખાઇ ગયાં એટલે ફોજ પાછી ભાગી ગઇ. ત્યારે જુઓ, ઓલ્યું મનુષ્ય ચરિત્ર જે સંતાઇ ગયા; અને પાછા દેખાણા ને ભય દેખાડ્યો એ દિવ્ય ચરિત્ર, એમ છે; જો ધીરજ રાખીએ તો, જો જ્ઞાન હોય તોડગી ન જાય; નીકર ડગી જાય. ।।૨૩૫।।