એકવાર સમૈયેથી આવ્યા ને મારે વણથળી કાગળ મોકલવો હતો પણ થોડાં માણસ તે જનાર કોઇ નહિ; પછી રામદાસજીને કહ્યું જે, ‘તમે જાઓ ને કાગળ કલ્યાણભાઇને દઇને આવજો,ને જાતે ને આવતે અખંડ ભજન કરજો.’ પછી એણે એમ કર્યુ, એટલે એને પછી મૂર્તિએ સહિત અખંડ ભજન થાવા માંડ્યું. એમ થાય છે. તે ઐકાગ્રેણૈવ મનસા પત્રિલેખઃ સહેતુકઃ એ કહ્યું. આ જો એમ એકલા નથી કહેતા, માંહી ભગવાન અખંડ રહ્યાં છે તે પણ કહે છે. કોઇ જાણે એકલા કહેતા હશે, એમ મર્મ કર્યો. ।।૨૩૮।।