ભગવાન તો એક જીવ ભજે તે સારુ બ્રહ્માંડ બોળી નાખે.તેની એક વાત છે જે, એક ચકલી હતી તે ઊંચી પર્વત ઉપર બેસીને ભજન કરતી હતી. તે કહે જે, ‘મને આંહીં બેઠે બેઠે પાણી પાય તો પીઉં.’ પછી બ્રહ્માંડ બોળીને ત્યાં લગી પાણી ભરી દીધું એટલે પીધું. ।।૨૬૯।।