જુઓ ને ! આ બીજા મતવાદીઓએ વાડા કરીને જીવને ચડાવી દીધા છે તેવા થયા છે. ને કોઇ જાણે બીજા મત આગળ સારા હશે, તે એ તો એમ વિચાર્યું જે, આ પાછલો દરવાજો બાળપણામાં સારો હશે ? એ તો મૂળથી જ બગડેલો છે. એમ એ ધરથી જ બગડેલા છે માટે ઉદ્ધવમત વિના કોઇમાં માલ નથી. ।।૨૭૧।।