સ્ત્રી વાળો મહિનો; બે મહિના; ને જેને ન હોય તેને તો ઘરમાં રહેવાય જ નહિ; કાં જે ? એમાંથી તો જરૂર કફાત થાય. માટે ગાંઠના રોટલા ખાઇને, નીકર મંદિરના રોટલા ખાઇને પણ આ વાતો સાંભળવી. ને અજ્ઞાન ટાળવું ને મંદિરનાં રોટલા ખાય તેમાં શું ? ઘેર કરતો હોય તે આંહીં સેવા કરે. અરે ! એમ તો સેવા પણ જે પૈસા લઇને કરતો હશે તેની પાસે કરાવીશું, પણ જો કોઇ ભગવાન ભજતા હોય તો મંદિરના રોટલા આપીએ. ને કોઇ હજાર રૂપિયા ખર્ચે તેણે કાઇં અજ્ઞાન જાય ? તેને પાછા એકથી સો ગણા આપે. તે એક જણે પાંચસે રૂપિયા નરનારાયણ આગળ મૂકયાં, તેને સો લાખ આપશું. પણ કાંઇ વાતું સાંભળ્યાં વિના અજ્ઞાન ગયું ? ।।૨૮૨।।