ત્યાગીને તો બાર ઉપર એક વાગે જમવાનું કહ્યું છે. ને આ તો બબ્બે, ત્રણ-ત્રણ વાર ઝૂડે છે તે ઉપવાસ પડે એટલે ધારણાં-પારણાં પણ કરે, એમ ભેળું લીધે જાય ને ઓલ્યુંયે થાય. ને જો એક વાગે ખાય તો અન્નનો જે રસ તે બળી જાય, ને ઓલ્યુ તો અજીરણ થાય ને તેનું પાછું વીર્ય થાય તે પછી ઉપવાસ પડે ।।૨૮૭।।