સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રિલોકી, લઘુ શંકા ચૂંથે છે,તે મોટા સાધુ તો જાણે જે, આ તે શું કરે છે ? કોઇ પ્રભુ ભજતા નથી. ને માણસને વસમું લાગે એટલે કહેતા નથી. ને સત્સંગ થયો છે પણ બાળકની પેઠે લઘુ ચૂંથે છે. ને ત્રિલોકીમાંથી એવો એક તો ખોળીને મારી આગળ લાવો જે મૂતર ન ચૂંથતો હોય ? ।।૨૮૯।।