અને લખવું, ભણવું તે તો ઠીક છે ને ભકિતનું તો કાંઇ સરું  આવતું નથી, પણ નિયમ રાખીને બબ્બે ઘડી આત્માઅનાત્માનો વિચાર કરવા માંડે ને બબ્બે ઘડી રટણ કરે ને બબ્બે ઘડી વૃત્તિઓ રૂંધીને  બંધ કરે ને બબ્બે ઘડી ભકિત કરે, તો એમ જણાય જે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો, ને નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે. ।।૪૦।।