અને મોટા સંતનો સમાગમ કરવાનો મહિમા કહ્યો જે, ‘રોટલા ખાવા મળે છે પણ કદાચ તે ન મળે તો રાંધેલું અન્ન માગી ખાઇને પણ આ સાધુનો સમાગમ કરીએ, નીકર કાચા દાણા ખાઈને પણ સમાગમ કરીએ, નીકર ઉપવાસ કરીને પણ આ સમાગમ કરીએ, અથવા લીંબડો ખાઇને, નહિ તો વાયુ ભક્ષણ કરીને પણ આ સમાગમ કર્યા  જેવો છે. જેને કોઇક કામનો કરનારો હોય કે જેને રોટલા ખાવા મળતા હોય, તે જો સમાગમ નહિ કરે તો તેને તો બહુ ખોટ જાશે. ’ અમે ઘણીક વાર્તા કરી. ।।૪૪।।