સત્સંગમાં સ્ત્રીનો ત્યાગ કરે એવા તો ઘણા, પણ દ્રવ્યને ખોટું કરાવનાર ને કરનાર એવા તો કોઇક જ હોય. બાકી એની તો પુષ્ટિ જ થાશે, કેમ જે એમાં સર્વે વિષય રહ્યાં છે ને સત્સંગનો વ્યવહાર પણ એથી જ ચાલે છે. માટે એને ખોટું કરાવનાર નહિ જ મળે પણ એને ખોટું કરવું. તેમાં નિત્યે એમ વિચાર કરવો જે, એ પણ એક દિવસ મૂકવું પડશે. ।।૫૮।।