શાસ્ત્રમાં તથા સત્પુરુષના કહ્યામાં એમ છે જે, મોટા રાજી થાય તો સર્વે કામ થાય, તે રાજી થયાના ઉપાય ચાર છે. તેની વિકિત જે, એક તો એને કાંઇ પદાર્થ જોતું હોય તે આપવું, બીજું તેના દેહની સેવા કરવી, ત્રીજું તેને આગળ હાથ જોડીને વિનય કરવો, ને ચોથું એની અનુવૃત્તિ, તે અનુવૃત્તિમાં તો સર્વે વાત આવી જાય; એ જેવું બીજું નથી. ।।૬૨।।