અને ભગવાન તથા મોટા સાધુને જીવ આપી દીધો હોય એવો થયો હોય તેને પણ જ્ઞાન શીખવું, ને તે શીખ્યા વિના તો ન આવડે. ને મહારાજનો એ જ મત જે જ્ઞાની થાવું, બાકી બીજું તો થાય છે ને થાશે, પણ એ કરવાનું અવશ્ય છે. ને કોઇ રીતે કોઇ પદાર્થે આ જીવનું પૂરું થાય નહિ ને જ્ઞાન થાય તો કાંઇ અધૂરું જ ન રહે. ।।૮૨।।