અને આજ્ઞા પળે એટલી વાસના બળે. તે આજ્ઞા કઇ જે, શિક્ષાપત્રી, નિષ્કામશુદ્ધિ, ધર્મામૃત તે પાળીને વાસના ટાળવી. ને મનના ઘાટ બંધ કરવા એ તો કઠણ છે, પણ સ્થૂળ દેહે વર્તવું ને આજ્ઞા પાળવી એ તો થાય એવું છે ને તેમાં ફેર પાડે એટલો કુસંગ છે. ।।૯૯।।