અને કોઇક મરે ત્યારે કાંઇક થડકો થાય ને પછી આ લોકમાં પદાર્થ, મનુષ્ય, રૂપિયા એ આદિકને દેખે તે પાછું ભૂલી જાય ને જે જ્ઞાની હોય તેને તો નિરંતર એમ વર્તે; ને આજ્ઞા પાળવી પણ લોપવી નહિ. તે આજ્ઞા મુખ્યપણે તો ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામશુદ્ધિ એ ત્રણ ગ્રંથ પ્રમાણે વર્તવું ને મોટાનો સમાગમ કરવો ને સેવા કરવાનું કહે છે તે સર્વમાં મુખ્ય સેવા તે શું ? જે, મોટા એકાંતિકની અનુવૃત્તિ મન, કર્મ, વચને રાખવી, એવી બીજી કોઇ સેવા નથી. ।।૧૦૦।।