અને ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે, ને મધ્યમ તો સાધુ થકી વાતે કરીને સમજે ને કનિષ્ઠ તો કાળે કરીને સમજે; અને મુકત, મુમુક્ષુ ને વિષયી એ ત્રણેને ક્રિયા વિષે ભેદ છે. ને કોઇક ક્રિયા કરવામાં જીવને મૂંઝવણ થાય તો કહેવું જે,મને કાંઇ બીજું બતાવો, પણ મૂંઝાવું નહિ. ।।૧૦૪।।