અને જીવનો સ્વભાવ બદ્ધ છે, તે ત્યાગીમાં બંધાય ને ગૃહસ્થમાં પણ બંધાય, પદાર્થમાં બંધાય ને દેશમાં ને ગામમાં બંધાય, આસનમાં બંધાય ને જયાં એક ઠેકાણે રહે ત્યાં બંધાય; ને નાતજાતમાં બંધાય, એવા અનતં ઠેકાણાં બંધાવાનાં છે. તે સારુ તો ટોપીવાળો કોઇને એક ઠેકાણે રહેવા દેતો નથી. ।।૧૧૫।।