મોટા સાધુ સાથે જીવ બાંધ્યો હોય ને તેને કોઇક દેશકાળ લાગે ને સત્સંગમાંથી જાવું પડે એવું હોય, તોપણ તેનું પ્રાયશ્ચિત કરવાનું એ સંત પોતાને માથે લે અથવા એને પ્રાયશ્ચિત કરવાનું બળ આપે અથવા છેલ્લી વારે એને રોગ પ્રેરીને પણ સત્સંગમાં રાખે, પણ એને જાવા દે નહિ. ।।૧૨૧।।