અને પ્રતિલોમપણે હૃદયમાં સંકલ્પ સામું જોવું તથા પ્રતિલોમપણે ભગવાનનું ધ્યાન કરવું ને તેમાં જ સુખ છે પણ પ્રતિલોમ જેવો બીજો સુખનો ઉપાય નથી, માટે પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે. તે વચનામૃતમાં મહારાજે બહુ ઠેકાણે કહ્યું છે. ને મોટા સંતનો એ આગ્રહ મુખ્ય છે ને પ્રતિલોમ વિના યથાર્થ જ્ઞાન થાતું નથી. ।।૧૨૩।।