અને ગમે એવા હોય તેને પણ સેવાએ કરીને કે પદાર્થે કરીને રાજી કરીએ. ને પદાર્થે કરીને રાજી ન થાય એવા તો કૃપાનંદસ્વામી, મુકતાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી એ કોઇ રીતે ન જીતાય, કેમ જે, એને તો સેવા કે કોઇ પદાર્થ જોઇએ નહિ. પણ તે એક ઉપાયે જીતાય જે, એના આગળ દીન થાવું ને હાથ જોડવા; એવો બીજો ઉપાય નથી. ।।૧૭૩।।