અને સભાની વાત બહુધા લાગે નહિ, એ તો એકાંતમાં પૂછવું-સાંભળવું ત્યારે સમાસ થાય છે. ને સમાગમ કરે તેનો સંગ લાગે ત્યારે તે સમાગમ કર્યો કહેવાય, તે જેમ પાણી લાગે છે એમ જયારે સંગ લાગે ત્યારે તેના તો અવયવ ફરી જાય. ને સંગ તો કેવો છે ? તો એને લોભાદિક દોષ ન મૂકવા હોય તોપણ મુકાઇ જાય. ને જો દોષ મૂકવા હોય તોપણ જો ઊતરતો સંગ થઇ જાય તો મૂળગા દોષ વધી જાય, એમ સંગમાં રહ્યું છે. ।।૧૭૫।।