અને આંહીંથી તે પ્રકૃતિપુરુષ સુધી પણ વિષય સુખ, એમાં તે શું અધિક છે ? સર્વેનું આવું ને આવું છે અને બ્રહ્મચર્ય તો કયાંય નથી; તે આ લોકમાં, દેવતામાં, ઋષિના લોકમાં કે બીજા લોકમાં પણ નથી. એ તો અક્ષર, શ્વેતદ્વીપ, બદરિકાશ્રમ ને આંહીં સંતમાં, એ ચાર ઠેકાણે બ્રહ્મચર્ય છે. ।।૧૭૬।।