અને સ્વામીએ વાત કરી જે, વાદી, ફુલવાદી ને ગારડી; તેમાં વાદી હોય તે તો ગરીબ સાપ હોય તેને ઝાલે ને ફુલવાદી હોય તે તો હાથ આવે તો ઝાલે; નહિ તો લૂગડાંના છેડાને વળ દઇને મારી નાખે; ને ગારડી હોય તેની આગળ તો ગમે તેવો મણિધર હોય તે પણ ડોલે. એ તો દષ્ટાંત, ને સિદ્ધાંત તો એ છે જે, દત્તાત્રેય ને કપિલ તે તો વાદીને ઠેકાણે છે, તે તો મુમુક્ષુ હોય તેનું કલ્યાણ કરે; ને રામચંદ્રજી ને શ્રીકૃષ્ણ તે તો ફૂલવાદીને ઠેકાણે છે, તે તો પોતાનું વચન માને તેનું કલ્યાણ કરે ને ન માને તો તરવારે સમાધાન કરે ને કલ્યાણ કરે; ને શ્રીજીમહારાજ તો ગારડીને ઠેકાણે છે; તેની આગળ તો જીવ, ઇશ્વર, પુરુષ ને અક્ષરાદિક તે સર્વે હાથ જોડીને ઊભા છે. ।।૫।।