પછી વળી સ્વામીએ વાત કરી જે, એક દિવસ સ્વરૂપાનંદ સ્વામી દેશ ફરીને આવ્યા. તેને શ્રીજીમહારાજે પૂછ્યું જે,”દેશમાં મનુષ્ય કેવા છે ?” ત્યારે સ્વરૂપાનંદસ્વામી ધીરા રહીને બોલ્યા જે, ‘હે મહારાજ ! મનુષ્ય તો લીંબડી કે નીચે દેખા હૈ ને બીજે મનુષ્ય તો નહિ હૈ.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘દેશ ફરીને આવ્યા ને મનુષ્ય તો દીઠાં જ નહિ’ ત્યારે સર્વે સંતે પૂછ્યું જે, ‘કલ્યાણ કેના કર્યા હશે ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘બીજા નિયમ ધરાવીને વર્તમાન પળાવે ત્યારે કલ્યાણ થાય ને સ્વરૂપાનંદસ્વામીને તો દર્શને કરીને કલ્યાણ થાય.’ ।।૮।।