સ્વામીએ વાત કરી જે, મોરે  તો મુમુક્ષુ ભગવાનને ખોળતા ને હવે તો ભગવાન છે તે મુમુક્ષુને ખોળે છે, જેમ ધોયો  ધૂળમાંથી ધાતુ ખોળે છે તેમ પામર ને વિષયીમાંથી મુમુક્ષુને ખોળે છે. અને જે મુમુક્ષુ હોય તેને તો નિરંતર એમ વર્ત્યા કરે જે કરું ઉપાય હવે એહનો, ડોળી દેશ વિદેશજી; કોઇ રે ઉગારે મુને કાળથી, સોંપું તેને આ શીશજી. એમ નિરંતર વર્ત્યા કરે. પછી સ્વામીએ વાત કરી જે, “ધર્મપુરવાળા કુશળકુંવરબાઇએ મહારાજને પ્રશ્ન પૂછ્યું જે, ‘હે મહારાજ, તમે કાગળમાં લખ્યું જે, અનિર્દેશથી લિખાવિતં સ્વામીશ્રી સાત સહજાનંદજી મહારાજ, તે અનિર્દેશ તે શું ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘આ તમારો દરબાર છે તે નિર્દેશ છે ને આ તમારું શહેર છે તે અનિર્દેશ છે. પૃથ્વી નિર્દેશ છે, ને જળ અનિર્દેશ છે; જળ નિર્દેશ ને તેજ અનિર્દેશ છે; તેજ નિર્દેશ ને વાયુ અનિર્દેશ છે; વાયુ નિર્દેશ ને આકાશ અનિર્દેશ છે; આકાશ નિર્દેશ છે ને અહંકાર અનિર્દેશ છે; અહંકાર નિર્દેશ ને મહત્તત્ત્વ અનિર્દેશ છે; મહત્તત્ત્વ નિર્દેશ ને પ્રધાનપુરુષ અનિદેર્શ છે પ્રધાનપુરુષ નિદર્શે ને પ્રકૃતિપુરુષ અનિર્દશે છે પ્રકૃતિપુરુષ નિદર્શે ને એ પક્ર ૃતિપુરુષ થકી પર અક્ષરધામ તે અમારો અનિર્દશે  છે, ત્યાં રહીને અમે કાગળ લખાવીએ છીએ. ’ એટલી વાત કરી ત્યાં સુધી મૂતિર્  સામું જાઇે રહ્યાં ને વૃત્તિ પલટાવીને હૈયામાં ઉતારતાં ગયાં. તે આ વાત મહારાજે કહી હતી.” ।।૬૨।।