સ્વામીએ વાત કરી જે, “રઘુવીરજી મહારાજ પૃથ્વી ઉપર રહ્યાં ત્યાં સુધી દેશકાળાદિકનું બહુ સુખ રહ્યું; કેમ જે, મહારાજ એમને વશ, તે જેમ ધારે તેમ કરે. ને હવે તો રઘુવીરજી મહારાજે દેહત્યાગ કર્યો છે, તે દિવસથી દુઃખ ચડતું આવે છે. કેમ જે, જેમ મોટી નદીનું પૂર ચડતું આવે છે. તેમ દુઃખ ચડતું આવે છે. તે જુઓને, રાજાઓનું કેવું દુઃખ છે તે ભેંશજાળવાળા ને જાઈવાવાળા જે ગરાસિયા, તેનો ન્યાય કર્યો જ નહિ. તેમજ અખોદડવાળા બ્રાહ્મણ ભગવદી તેને મારી નાખ્યો, તેનો પણ અન્યાય કર્યો, એવા દુઃખ છે. તે સારુ તો અમે મહારાજને અરજી નાખી છે જે,‘રઘુવીરજી મહારાજ જેવા બે આચાર્ય કરો ને ગય રાજા જેવો એક રાજા કરો, તો બે કરોડ મનુષ્ય પ્રભુ ભજે છે તે દસ કરોડ મનુષ્ય પ્રભુ ભજે’ એમ સંકલ્પ કર્યો છે.” ત્યારે સર્વે હરિજન બોલ્યા જે, હે મહારાજ ! તમે ધાર્યુ છે તે સારું જ થાશે. ।।૬૩।।