વળી સ્વામીએ વાત કરી જે, “અમારી સમજણ તો કોઇને કહેવાય નહિ, પણ આજ થોડીક કહું. એમ કહીને બોલ્યા જે, ‘કહ્યા વિના તો જ્ઞાન થાય જ નહિ ને જ્ઞાન થયા વિના મોહ પણ ટળે નહિ અને જેને મોટાની સમજણ આવી હોય તેને તો મહારાજની મૂર્તિ વિના ને અક્ષરધામ વિના આંહીંથી તે પ્રકૃતિપુરુષ સુધી લઘુશંકાનો વ્યવહાર દેખાતો હોય; તેમાં શાનો મોહ થાય ? તે એવું તો સર્વનિવાસાનંદસ્વામીને થઇ ગયું જે, પ્રકૃતિપુરુષનું કાર્ય તેમાં વૃત્તિ રહિ જ નહિ. તે એક દહાડો મારી પાસે કહ્યું જે, મહારાજની પૂજા-સેવા શા વતે કરું ? ત્યારે મેં કહ્યું જે, મૂર્તિ સામું જોઇ રહો. ત્યારે સર્વનિવાસાનંદસ્વામીએ કહ્યું જે, ‘કરીએ છીએ તો એમ જ પણ જો આવી વાત કોઇકને કહીએ તો આ મારો ખાટલો લઇને વંડામાં નાખી આવે, એવું કઠણ પડે; પણ મહારાજની મૂર્તિ વિના તો ખાવાની વિષ્ટા ને પીવાની લઘુશંકા એવું છે, પણ જયાં સુધી મોહ છે ત્યાં સુધી એ વાત સમજાય નહિ.’ એવી મોટાની સમજણ છે.’ ।।૬૪।।