અને આ જીવ વિષયમાંથી નોખો પડતો નથી. આ ભજન કરાવીએ છીએ, તેમાંથી જરાક પળ બે પળ નોખો પડે, તેથી નિર્ગુણ ભાવને પામી જાય. ને જીવને તો વચનામૃતમાં લંબકર્ણ જેવો કહ્યો છે. એવો હોય ને એ વર્તમાન પાળે એ તો જીવ સારો હશે. ને બ્રહ્માંડમાં એવો કોઇ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઇએ ને એવી કોઇ સ્ત્રી નથી જે જેને પુરુષ ન જોઇએ. તેમાંથી નોખા પડવાનો તો મહારાજે એક શ્લોક લખ્‍યો છે: જે: ‘નિજાત્‍માનં બ્રહ્મરુપં’ જેમ ગુજરાતની પૃથ્‍વીમાં પાતાળ સુધી ખોદીએ તો પણ પાણો ન મળે, એ જ ઉપાય છે. ૧૪૨