દેહને લઇને, દેશને લઇને ને કાળને લઇને જીવ ગ્લાનિ પામી જાય છે, તે ગ્લાનિ પામવી નહિ, એનો તો એવો સ્વભાવ છે. ને કર્યું ભગવાનનું થાય છે, તે તેને ગમે તેમ કરે. ને સ્થૂળનું દુ:ખ આવે, સૂક્ષ્મનું દુ:ખ આવે ને કારણનું દુ:ખ આવે તેને માનવું નહિ. ને મહારાજે પણ મળતું રાખીને પ્રભુ ભજાવ્યા છે. ૧૪૬