અને ચાર પ્રકારના સત્‍સંગીમાં પ્રથમ સહુ કરતાં સરસ આત્‍મા ને પરમાત્‍માના જ્ઞાનવાળો, ને તે પછી બીજો ધ્યાન અને પ્રીતિવાળો; તેણે કરીને જોડાયો હોય તે પાર પડે. ને તે કેડે ત્રીજો આજ્ઞાવાળો, તે આજ્ઞામાં રહીને માંડમાંડ પૂરુ કરે, તે પણ પાર પડે તો ઠીક છે. ને તે કેડે ચોથો તે કોઇ સાધુમાં હેત થયું હોય, તેણે કરીને કોઇ રીતે નભે. એ રીતે ચાર પ્રકારના ભકતનાં રુપ કહ્યાં. પછી કોઇ હરિજને પ્રશ્ન પૂછયો : જે એ ચાર પ્રકારના ભકતમાં પ્રથમ કહ્યો જે જ્ઞાની તેને કોઇ પ્રકારનું વિઘ્‍ન આવે કે ન આવે ? તેનો ઉત્તર કર્યો : જે કોઇક ધક્કો માર તે પડી જાય ને પાછો ઉભો થાય છે તેમ, વળી જેમ ચોમાસામાં પડે છે ને ઊભો થાય છે, તેમ વિચારે કરીને દેશ-કાળને ટાળી નાખે, ને દેશકાળ તો આવે ખરા એ ઉત્તર છે. ૧૫૭