એક તો યજ્ઞ કરે તે આખી પૃથ્‍વીમાં ધોડો ફેરવે, તેમાં બહુ દાખડો, કેમ જે કોઇક બાંધે તો યજ્ઞ અધૂરો રહે, ને એક તો ફળીયામાં ધોડો ફરેવે ને યજ્ઞ કરી લે, તેમાં શું કહ્યું ? જે ઇન્‍દ્રીયો અંત:કરણ વશ કરવાં એ તો પૃથ્‍વીમાં ધોડો ફેરવવા જેવું છે ને પોતાને બ્રહ્મરુપ માનવું એ તો ફળિયામાં ધોડો ફેરવવા જેવું છે. ને વળી ચોસઠ લક્ષણ સાધુનાં કહ્યાં તે શીખવા એ તો પૃથ્‍વીમાં ધોડો ફેરવવા જેવું કઠણ છે, ને ચોસઠ લક્ષણવાળા સાધુમાં જોડાવું, એ ફળિયામાં ધોડો ફેરવવા જેવું સુગમ છે. ૧૭૨