નવરાશ હોય ત્‍યારે ભગવાનની મૂર્તિને લઇને બેસવું. તે મૂર્તિ તે શું ? જે ભગવાનની કથા, વાર્તા, કીર્તન, ઘ્‍યાન એ ભગવાનની મૂર્તિ છે ને દેહ હોય ત્‍યાં લોભ, કામ, કોધ, સ્‍વાદ, સ્‍નેહ, માન, નિદ્રા એ સર્વે હોય, તેને તો દેહ ભેળાં કરી રાખવાં, તે તો જેમ કોઇક અફીણનું વ્‍યસન રાખે છે તેમ. તે સુખ જેવા જણાય છે, એ તો દેહને દુ:ખ દે એવાં છે એમ સમજવું. ૧૭૪