ભકિતમાતાએ મહારાજને કહ્યું : જે ‘મારો સ્ત્રીનો દેહ તે મને ઝાઝું સમજાય નહિ, તેથી થોડાકમાં હોય તે કહો.’ પછી મહારાજે ચોસઠ લક્ષણ સાધુના કહ્યાં ને કહ્યું : જે ‘એવા સાધુમાં જેણે આત્મબુદ્ધિ કરી તેને સર્વ સંપૂર્ણ થઇ રહ્યું.’ ને મહારાજે કહ્યું : જે ‘એવાનાં દર્શનને અમે પણ ઇચ્છીએ છીએ’ ઇત્યાદિક બહુ મહિમા કહ્યો. ૧૮૪