અને વિષયરુપી ફાંસલો જીવના ગળામાં નાખ્‍યો છે તેનું બળ છે. જેમ નદીનો પ્રવાહ ચાલતો હોય ત્‍યાં સુધી તેનું બળ ન જણાય, પણ તેને બંધ કરે ત્‍યારે ખબર પડે. તેમ મોટા મોટા સૌભરિ ને પરાશર આદિક દિશાઓના જિતનાર ભારે ભારે તેને પણ પરાભવ પમાડયા છે. તે વાસના જે લિંગદેહ તે તો આત્‍યંતિક પ્રલયમાં પણ ન બળ્‍યું, તે આજ જ્ઞાને કરીને બળે છે. પણ મહારાજે તો સર્વ બારાં બંધ કરી દીધાં છે. તે જીવ શું કરે ? જેમ ધોરિયામાં સાલી તાણે છે તેણે બારા બંધ થઇ જાય, ને પાણી કયાંઇ જાવા પામે નહિ એમ બંધ કર્યું છે. ૨૦૩