છેલ્‍લા પ્રકરણનું તેરમું વચનામૃત વંચાવીને તેમાં ‘દેશકાળનું બહુ પ્રકારે વિષમપણું થઇ જાય ને તેમાં પણ એકાંતિકપણું કેમ રહે ?’ એ પ્રશ્ન, ઉપર વાત કરી : જે નિશ્વય રહે એ જ એકાંતિકપણું છે, ને એ જ રહેવાનું. તે જેમ ચિંતમણિ રહી ને બીજું ધન સર્વે ગયું પણ કાંઇ ગયું નથી, ને ચિંતામણિ ગઇ ને બીજું  સર્વે ધન રહ્યું પણ કાંઇ રહ્યું નથી. તેમજ નિશ્વય રહ્યો તો સર્વે રહ્યું ને અંતે એ જ રહેવાનું છે. ૨૦૪