અને બ્રહ્મવેત્તાને મતે તો વેદ માર્ગ જે વિધિનિષેધ તે પણ ગણત્રીમાં નથી, એમ જડભરતે રહુગણને કહ્યું. એની સમજણમાં તો આત્‍મા ને પરમાત્‍મા એ બે જ વાત રાખવી એમ કહ્યું, તે ઉપર છેલ્‍લા પ્રકરણનું છેલ્‍લું વચનામૃત વંચાવ્‍યું ને બોલ્‍યા : જે આ વચનામૃતમાં પણ ‘આત્‍મા ને પરમાત્‍મા એ બે વાતનો વેગ લગાડી દેવો.’ એમ મહારાજનો સિદ્ધાંત છે. ૨૦૮