અને મોટા સાધુના સમાગમથી વિષયની વાસના ટળી ગઇ છે તો પણ ન ટળ્‍યા જેવું જણાય છે, તેનું કારણ એ છે : જે, જેમ તરવારમાં મરિયાં લાગ્‍યાં હોય તે સરાણે ચડાવ્‍યાથી મટી જાય, પણ બહુ કાટ લાગીને માંહી ઉતરી ગયા હોય તો તે મટે નહિ તે તો તરવાર ગાળીને ફરીથી ઘડે ત્‍યારે મટે તેમ આ દેહ મૂકીને બ્રહ્મરુપ થાશે. એટલે સર્વે વાસના ટળી જાશે. ૨૧૯