દેહને પોતાનું રુપ માને તો તેમાં બધાંય દુ:ખ રહ્યાં છે. ને દેહને ન માને તો તેમાં દુ:ખ નહિ. ને શાસ્ત્રમાં બહુ પ્રકારના શબ્‍દ છે તે સાંભળીને ભ્રમી જવાય છે, ને માથું ફરી જાય છે ને બ્રહ્મરુપ મટીને દેહરુપ મનાઇ જવાય છે. ને શાસ્ત્રમાં તો બધાય શબ્‍દ સરખા હોય નહિ, બે આમ હોય ને બે આમ હોય પણ એકધારા હોય નહિ. ને જ્ઞાન થયું છે તે કેનું નામ ? જે શાસ્ત્ર સાંભળીને તથા કોઇની વાતે કરીને અંગ ફરી જાય નહિ, તે પાકું જ્ઞાન કહેવાય. ૨૩૨