ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી.
(ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૪)
ભગવાનના ભકતનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભકતને સર્વ પ્રકારે ત્યાગ કરવો.
(ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૪)
આ સત્સંગમાં જે વિવેકી છે, તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દેખે છે અને ભગવાન અને ભગવાનના ભકતને વિષે ગુણને દેખે છે.
(ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૬)
સત્સંગમાં કુસંગ તે શું છે ? તો જે ‘વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે’ તે સત્સંગમાં કુસંગ છે.
(ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૧૭)
જેમ ભુંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંતને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે.
(ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૧૮)
કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે.
(ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૨૨)
જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય અને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે.
(ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૩૮)
ભગવાનના ભક્તને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને ભગવાન પાસે એમ માગવું, જે હે મહારાજ ! હે સ્વામિન્ ! હે કૃપાસિન્ધો ! હે શરણાગત પ્રતિપાલક ! કુસંગી થકી અમારી રક્ષા કરજો.
(ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૪૮)
ભગવાનના ભક્ત હોય તેને કોઇનું અપમાન કરવું નહિ. કાં જે ભગવાન તે ગરીબના અપમાનના કરનારાનું ભૂંડું કરી નાખે છે.
(ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૬૨)
‘ભગવાનનો તો આકાર નથી’ તે સમજનારાની અવળી સમજણ છે. ભગવાન તો નિત્ય દિવ્યમૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે.
(ગઢડા પ્રથમ પ્રકરણ, વચનામૃત-૬૬)
સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઇ પદાર્થની ઇચ્છા તો રાખવી જ નહિ.