જેવા સાધુને સેવે તેવા ગુણ આવે; તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય ને પામર હોય તે વધી જાય, માટે સર્વેનું કારણ સંગ છે.
વાત-૭, પ્રકરણ-૧
ઇન્દ્રિયો અંત:કરણ એ સર્વે કુસંગી છે. તે જે જે વિષયનો જોગ થાય તે તે રુપ થઇ જાય એવો જ એ જીવનો સ્વભાવ છે.
વાત-૧૦, પ્રકરણ-૧
રુપવાન સ્ત્રી, ઝાઝું દ્રવ્ય ને સારી મેડી મળી તે સત્સંગીને પણ માયાનું બંધન થયું કેમ જે, એમાંથી જીવ નીકળે નહીં, માટે એ તો જેવું તેવું સાધારણ મળે તે સારું છે.
વાત-૧૧, પ્રકરણ-૧
કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવો, ને કદાપિ કરોડ કામ સુધાર્યા ને એક મોક્ષ બગાડયો તો શું કર્યું ?
વાત-૧૪, પ્રકરણ-૧
નવધા ભકિત આદિક સાધને કરીને જીવ શુદ્ધ તો થાય છે, પણ વાતે કરીને જેવો શુદ્ધ થાય એવો થાતો નથી, માટે શબ્દ જેવું તો કોઈ બળવાન નથી.
વાત-૧૫, પ્રકરણ-૧
ભગવાને તો કહ્યું છે જે ‘જેવો હું સત્સંગે કરીને વશ થાઉ છું, એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ થાતો નથી’ તે સત્સંગ શુ ? તો જે મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ છે.
વાત-૧૭, પ્રકરણ-૧
કરોડો રુપિયા ખરચતાં પણ આવા સાધુ મળે નહિ, ને કરોડો રુપિયા દેતાં પણ આ વાતું મળે નહિ, ને કરોડો રુપિયા આપતા પણ મનુષ્યદેહ મળે નહિ.
વાત-૧૯, પ્રકરણ-૧
મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે.
વાત-૨૦, પ્રકરણ-૧
જેટલું કાંઇ માયામય સુખ છે તે સર્વે દુ:ખ વિનાનું હોય નહિ, માટે એ વાત પણ એક જાણી રાખવી.
વાત-૨૫, પ્રકરણ-૧
જેમ ખાધાનુ મળે પણ ખાધા વિનાનું સુખ ન આવે, જેમ લુગડાં, ઘરેણાં મળે તોપણ પેર્યા વિના તેનું સુખ ન આવે, તેમ સંગ વિના સત્સંગનુ સુખ આવે નહિ.
વાત-૨૯, પ્રકરણ-૧