રાગઃ ઉપજાતિવૃત્ત
કથા સુણે તે કહી આદિ ભકિત, તેથી વધે છે નવધાની વિકિત;
હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી.3શરીરનો મેલ જળેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય;
હરિકથા જે ન સુણે જ કાન, તેને હરિનું નવ થાય જ્ઞાન.4દીઠી અમે ઉત્તમ એક દેવી, તેની દિસે રીત નવાઇ જેવી;
આહાર તે કાન વડે કરે છે, તો પુષ્ટિ પામે નહિ તો મરે છે.5પ્રાણી પિયે છે પ્રતિદિન પાણી, તોયે અરૂચી ઉપજી ન જાણી;
કથા સુણે એક જ વારવાર, ન ભકત પામે અરુચી લગાર.7સમીપ આવે મરવાનું જયારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે;
સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણકથા તજાય.8સત્સંગનો કૃષ્ણકથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો;
સત્સંગરૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી વહેલી.11આહારનો ભાવ જણાય જેને, થશે શરીરે અતિ પુષ્ટિ એને;
ભાસે કથા ઊપર તીવ્ર ભાવ, સત્સંગનો અંગ થશે ચડાવ.12કળશ ૩, વિશ્રામ ૧૦