સદગુરુ કૃષ્ણચરણદાસજી સ્વામીની વાતો
વાતઃ૭૦
સત્સંગનો પ્રતાપ તો જુઅો.
તડ ગામમાં જેઠા કોળી હતા. તે બ્રાહ્મણના જેવો ધર્મ પાળે. અેક અંગ્રેજ અમલદાર ગામના પટેલ સાથે સીમ જોવા નીકળેલ.
છેટેથી પૂછ્યુંઃ 'પટેલ, અોલ્યું કોનું સાતી છે?'
પટેલે કહ્યું, 'સાહેબ, કોળીનું છે.'
અાશ્ચર્ય સાથે અમલદારે કહ્યું, 'અે કોળી અાવા સારા બળદ રાખે છે?'
પટેલ કહે, 'સાહેબ, તેના જેવા બળદ ગામમાં કોઇના નથી.'
જેઠાભગત પાસે જઇને અમલદારે થોડી વાતો કરી. થોડે દૂર બોરડીના ગળાયા નીચે કંઇક જોઇને કહે, 'અોલ્યું બોરડીના ગળાયા નીચે શું છે?'
ત્યારે જેઠાભગત કહે, 'પાણીની ભંભલી છે. માથે કાગડો બેસી જાય તો અભડાય માટે માથે પાલેરું રાખ્યું છે.'
ત્યારે કહે, 'લોટો છેટે કેમ પડ્યો છે?'
તો કહે, 'તે બહીર્ભૂમી જવાનો છે. પાણી પીવાનો જુદો છે.'
અાવી અાચારશુદ્ધિ તે જમાનામાં ઉચ્ચ વર્ણમાંય બહુ જોવા ન મળતી અને અા કોળીની અાચારશુદ્ધિ જોઇને અમલદાર ખુશ થયો.
પટેલે કહ્યું, 'સાહેબ, અા ગામમાં અા અેક ખેડુ અેકાદશી પાળે છે. દર દશમીને દિવસે ઉના મંદિરે જાય. અેકાદશીનો ઉપવાસ કરે ને ભજન કરે. બારશનું પારણું કરી ઘેર અાવે. અેવું અડગ નિયમ છે. અને દરરોજ સવારમાં ઊઠીને નાહીને પૂજા પાઠ કરે છે. તિલક ચાંદલો કરે છે. ઉજળા કપડા પહેરે છે. અને અન્ન, વસ્ત્ર ને અાબરું ગામમાં અેના જેવા કોઇના નથી.'
વાતઃ૭૮
વાંકિયાના માધાભગત કેવળાત્માનંદ સ્વામી સાથે જૂનાગઢ સાધુ થવા અાવ્યા. ઘેરે બહુ સુખી હતા. ગુણાતીતાનંદ સ્વામીઅે તેને કેશવભગતને સોંપ્યાં. બીજે દિવસે કેશવભગતે તેને દરવાજે બેસવાનું કહ્યું. તે દરવાજે બેઠા.
થોડીવાર થઇ ત્યાં થોડા પાર્ષદો ખડ વાઢવા જતાં હતાં અેટલે કેશવભગતે માધાભગતને કહ્યું, 'ભગત! ભક્તો ભેગા ખડ વાઢવા જાવ.' અેટલે માધાભગત તરત તૈયાર થઇ ગયા. દરવાજે પહોંચ્યાં ત્યારે કેશવભગત કહે, 'માધાભગત! તમારે ત્યાં નથી જાવું ગાૈશાળામાં વાસીદું કરવા જાવ.' અેટલે કહે, 'ઠીક!' પછી વાસીદુ કરવા તૈયાર થઇને ચાલ્યાં ત્યારે કેશવભગત કહે, 'માધાભગત! વાસીદું નથી કરવું, તમે અા કોઠારી સાથે ગામમાં ખરીદી કરવા જાવ.'
ત્યારે માધાભગત કહે, 'ઠીક, ભલે ત્યાં જાઉં.'
અા જોઇ કેશવભગત કહે, 'ભગત! તમે સત્સંગમાં પાર પડી ગયાં. કેમકે મનધાર્યું મૂકે અને સંત કહે તેમ કરે તેનાથી સત્સંગમાં રહેવાય.'
વાતઃ૭૦
ગામ સમઢીયાળામાં ભોજા ભગત હતા. વ્યવહારે ખૂબ સુખી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના પરમ કૃપાપાત્ર. અેક વખત તેમનાં કપાસનો અાડ સળગ્યો. થોડુ નુકસાન થયું. સદગુરુ માધવચરણદાસજી સ્વામીની અાજ્ઞાથી સદગુરુ કૃષ્ણચરણદાસજી સ્વામી તેમને ધીરજ અાપવા સમઢીયાળા ગયા. અને થોડી ધીરજની વાતો શરું કરી.
તે સાંભળી ભોજાભગત કહે, 'સ્વામી! તમને સ્વામીઅે ભલે મોકલ્યાં પણ મેં મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો છે. સ્વામીઅે મને અેવું જ્ઞાન અાપ્યું છે કે, અા બે-ચાર ગામમાં લેણ-દેણ છે. સો-બસો ભેંસુ, બળદ અને જમીન છે. ને લાખોની અાસામી છે તે બધી નાશ પામી જાય ને હાથમાં રામપાતર લઇને માંગવું પડે તો પણ અંતઃકરણમાં જરાય દુઃખ ન થાય. સ્વામીના પ્રતાપે અા છે તેનો અાનંદ નથી ને નાશ પામે તેનો શોક ન થાય. માટે ખૂબ સુખીયો છું.'