સદગુરુ કૃષ્ણચરણદાસજી સ્વામીની વાતો
વાતઃ૪૧
ગામ બારપટોળીમાં અાલા સુતાર હતાં. તેને તેડવા મહારાજ પાંખાળી ઘોડીઅે ચડીને અાવતા હતાં. તે અાવતાં જોઇને અાલા ભક્તઅે પત્નિને કહ્યું, 'મને મહારાજ તેડવા અાવે છે પણ મારે જવું નથી. ખડકી દઇ દે. ને તું મહારાજને કહેજે કે, ભક્ત ઘેર નથી.' અેક કહીને કોઠી અાડા સંતાઇ ગયા. ત્યાં મહારાજ પધાર્યા ને કહે, 'અાલા ભગત છે?' ત્યારે બાઇ કહે, 'ઘેર નથી.' અેટલે મહારાજ ચાલ્યા ગયા. મહારાજ તો બધું જાણતાં હતા કે અા ભગત શરીરે નરવા છે ને ભેંસુ દૂજે છે અેટલે અેમ છે કે ખાશું પીશું ને મજા કરશું પણ જોવું કેવીક મજા કરે છે. મારો ભક્ત છે અેટલે જગતમાં બંધાવાં દઉં તો મારી અાબરું શું? થોડા સમયમાં બધી સુખ સંપત્તિ વિંખાઇ ગઇ અને શરીર રોગે ઘેરાણું. પછી મહારાજને પ્રાર્થના કરવા માંડ્યાં, 'હે મહારાજ! અા દેહમાંથી છોડાવો.'
માટે અા લોકમાં શો માલ છે, ને શું સુખ છે? જીવે જે સુખ માન્યું છે અે તો કેવળ દુઃખરુપ છે. ને જો તેમાં સુખ હોત તો શાસ્ત્રવાળા શું લખત! માટે ભગવાનનાં ભક્ત હોય તેને તો તૈયાર થઇ રહેવું જે ક્યારે ભગવાન તેડવા અાવે ને ક્યારે જઇઅે.
વાતઃ ૪૩
શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા. બાઇઅોની સભામાં છેલ્લે કોઇ બાઇ બેઠા હશે તેના ઉપર તડકો અાવવાનો થયો અેટલે મહારાજે અેક જણને કહ્યું કે, 'પેલી બાઇને તડકો અાવશે માટે તેને કહો અા બાજુ બેસો.' ત્યારે તેણે ત્યાં જઇને કહ્યું પણ તે બાઇ કહે, 'આંહી ઠીક છે.' ઘણું કહ્યું તો પણ ઊઠ્યા નહી. થોડીવાર પછી તડકો અાવ્યો ત્યારે પોતાની મેળે ઉઠીને છાંયે બેઠા. ત્યારે મહારાજ કહે, 'તડકે ખૂબ કુટાણા પછી બેઠાં ને! અમારું ન માન્યા.'
અા જીવ અનાદિથી પોતાનું ધાર્યું જ કરતો અાવ્યો છે ને ધાર્યું કરવામાં અાનંદ માને છે. ઘણા દિવસ મન ધાર્યું કર્યું છે તો હવે સાધુ કહે તેમ કરવું.
વાતઃ ૪૫
જૂનાગઢથી વિષ્ણુવલ્લભદાસજી સ્વામી અને માધવચરણદાસજી સ્વામી વડવીયાળા ગયા. ત્યાં ધના વિપ્ર હતા તે કહે, 'હું ખીચડી ઘેરથી કરી લાવું તે તમારે મહેનત નહીં.' ત્યારે સ્વામી કહે, 'ઘી ન નાખો તો કરી લાવો.' ત્યારે ઘના વિપ્ર કહે, 'મારે ક્યાં દુજાણું છે? થોડુંક ઘી લાવીશ તે તમે ઠાકોરજીને ધરીને જમજ્યો.' પછી ખીચડી કરી તે જેટલી ખીચડી તેટલું ઘી નાખીને કરી. પછી ખીચડી અને અેક વાટકામાં ઘી મંદિરે સંતો પાસે લાવ્યા. થાળ ધરીને સંતો જમવા માંડ્યાં તે ઘી જોઇને કહે, 'ના પાડી હતી તો પણ ઘી નાખ્યું?' વિપ્ર કહે, 'મા-બાપ, તમે ક્યારેક અાવ્યા હો તો અમારું થોડું તમારે અર્થે વપરાય તો અમારું સારું થાય ને!
ધર્માદો અાપવા માટે તેમની પાસે બીજું કાંઇ નહી અેટલે ઘંટી વેંચીને તેનું અેક રાળ અાવ્યું તે અાપ્યું. ત્યારે સત્સંગીઅોઅે કહ્યું, 'સ્વામી! ધના વિપ્રે ઘંટી વેંચીને ધર્માદો અાપ્યો છે.' અેટલે સ્વામીઅે પાળા (પાર્ષદ)ને કહ્યું કે, 'તેને પાછું અાપી દ્યો.' ધના ભક્ત ઉપર ખીજાયને કહ્યું, 'ઘંટી વેંચી તે હવે દળશો શેણે?' ત્યારે ધના વિપ્ર ગળગળા થઇને કહે, 'મા-બાપ! ગૃહસ્થાશ્રમમાં રહીઅે છીઅે તો ધર્માદો તો અાપવો જોઇઅે ને!' અાવી તેમની સમજણ. ધના વિપ્રનો દેહ પડવાનો થયો ત્યારે ગામના માણસોને બોલાવ્યા ને કહ્યું, 'જુઅો મને સ્વામિનારાયણ ભગવાન તેડવા અાવ્યાં છે. ને હજારો વિમાન, રથ અને સાધુનો પાર નથી. જેને અાવવું હોય તેને ચાલો તેડી જાઉં. અેમ કહીને દેહ મેલ્યો. ત્યારે રથનો ઝણઝણાટ ગામનાં કેટલાંક લોકોઅે સાંભળ્યો.
વાતઃ ૫૨
બગસરામાં વેલા સુથાર હરિભક્ત હતા. તે દરરોજ રાત્રે મંદિરે દર્શન કરવા જાય. અેક દિવસ ઘેરથી નીકળ્યાં ત્યાં વરસાદ વરસવા લાગ્યો ને અંધારું બહુ હતું અને મંદિર પણ છેટે અેટલે 'સવારે જશું!' અેવું વિચારી પાછાં વળ્યાં. ત્યાં દરબારનો ખવાસ સામે મળ્યો. વેલાભગતે તેને પુછ્યું કે, 'અેલા, અટાણે, અા વરસાદમાં ક્યાં જા છો?' ત્યારે તે કહે, 'દરબાર સારું દારુનો શીશો લેવા કલાલને ત્યાં જાઉં છું.'
અા સાંભળી વેલાભગતના મનમાં થયું, અા પેટને વાસ્તે અાવા વરસાદમાં કલાલને ત્યાં જાય છે ને હું મંદિરે જતાં પાછો વળું છું? માટે હવે તો જાઉં. અેમ વિચારી મંદિરે ગયા.
વાતઃ ૪૫
જૂનાગઢમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી છતાં અેક શામો ભક્ત હતા. તે ગાયો ચારતા. દરરોજ સવારમાં જમીને ગાયો ચારવા જતાં રહે. અેક દિવસ રસોઇ હતી તે દૂધપાક વધેલો. સવારે શામા ભગતને દૂધપાક અાપ્યો. ત્યારે તે કહે, 'અા શું છે?' ત્યારે સાધુઅે કહ્યું, 'અે ગળ્યો બોળો છે.' ત્યારે કહે, 'અા ચીકણો ચીકણો મને ન ભાવે.' ત્યારે સાધુ કહે, 'ખાય તો જો.' પછી ખાધો તો ગળ્યો લાગ્યો. અેટલે કહે, 'અાવો ગળ્યો બોળો હંમેશાં અાપજ્યો' સાધુ કહે, 'દરરોજ તો ક્યાંથી હોય.' તો કહે, 'તો ગાયો ચારવા નહિ જાઉં.'
તે જ્યાં સુધી સ્વાદ નહોતો જાણ્યો ત્યાં સુધી કહે નહિ ખાઉં પણ સ્વાદ જાણ્યો ત્યારે કહે હંમેશાં અાપજ્યો. તેમ ભગવાનનું સુખ જ્યાં સુધી જણાયું નથી ત્યાં સુધી જીવ તેમાં વળગતો નથી પણ જ્યારે જણાશે ત્યારે મુકાશે નહિ.