કેટલેક રુપિયે આંખ, કાન આદિક ઇન્દ્રિયો મળે નહિ, તે ભગવાને આપ્યાં છે, પણ જીવ કેવળ કૃતઘ્ની છે.
વાત-૧૨૧, પ્રકરણ-૧
આ લોકમાં ડાહ્યો તો કોઇ પ્રભુ ભજતો નથી, ને જે ગાંડો થાય તે ભજે છે.
વાત-૧૨૬, પ્રકરણ-૧
ભગવાનમાં ને સાધુમાં હેત રહેશે તેના ઉપર સહુહેત કરશે, ને એથી પ્રતિકૂળ રહેશે તેને સહુ પ્રતિકૂળ થાશે, એ વાત સમજી રાખવી.
વાત-૧૨૯, પ્રકરણ-૧
એક દિવસે રાજ દેવાય, પણ વિદ્યા ન દેવાય. ને રાજાનો કુંવર હોય તેને ગમે તેટલું ખવરાવે તો પણ એક દિવસે મોટો ન થાય, એ તો ધીરે ધીરે મોટો થાય. તેમ જ્ઞાન પણ સંગે કરીને ધીરે ધીરે થાય છે.
વાત-૧૩૩, પ્રકરણ-૧
અને આ વાતું તો જાદુ છે, તે જે સાંભળે તે ગાંડો થાય. તે ગાંડો તે શું ? તો જે જગત ખોટું થઇ જાય, પછી તેને કોણ ડાહ્યો કહે ?
વાત-૧૩૭, પ્રકરણ-૧
અંતરમાં ટાઢું રહ્યા કરે ને ધગી ન જાય તેના બે ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વકર્તા સમજવા.
વાત-૧૪૯, પ્રકરણ-૧
સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઇ મંત્ર આજ બળિયો નથી. એ મંત્રે કાળા નાગનું ઝેર ન ચડે, એ મંત્રે વિષય ઉડી જાય, બ્રહ્મરુપ થવાય ને કાળ, કર્મ, માયાનું બંધન છૂટી જાય છે. એવો બહુ બળિયો એ મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું.
વાત-૧૫૪, પ્રકરણ-૧
આ સત્સંગ મળ્યો છે તે તો પારસમણિ તથા ચિંતામણિ મળી છે.
વાત-૧૬૭, પ્રકરણ-૧
તપ કરીને બળી જાય તો પણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે, અને હિડોળા ખાટમાં સૂઇ રહે ને દુધ સાકર ને ચોખા જમે ને સેવાના કરનાર ને રળનાર બીજા હોય, તો પણ તેને અંત સમે વિમાનમાં બેસારીને ભગવાન તેડી જાય, જો ભગવાનનો દેઢ આશરો હોય તો.
વાત-૧૭૩, પ્રકરણ-૧
જેવા શબ્દ સાંભળે તેવો જીવ થઇ જાય છે, માટે બળિયા ભગવાનના ભકત હોય તેના શબ્દો સાંબળીએ તો જીવમાં બળ આવે.
વાત-૧૭૮, પ્રકરણ-૧