ચિંતામણિ કાંઇ રુપાળી ન હોય, તેમ ભગવાન અને સાધુ મનુષ્ય જેવા જ હોય, પણ એ દિવ્‍ય છે ને કલ્‍યાણકારી છે. ને મનુષ્યનું દેહ ચિંતામણિ છે.

  • વાત-૮૮, પ્રકરણ-૧
  • અને જો માર માર કરતો કોઇ આપતો હોય તોપણ એમ સમજવું, જે ‘મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઇનું હલાવ્યું પાંદડું પણ હલતું નથી.’

  • વાત-૮૯, પ્રકરણ-૧
  • ‘વાંદરું વૈકુંઠમાં રહે નહિ’ એમ કહે છે, તે સારુ આપણે ભગવાન પાસે રહેવાય એવા સ્‍વભાવ કરવા, તે આંહી કરવા, કાં શ્વેતદ્વિપમાં જઇને કરવા.

  • વાત-૯૦, પ્રકરણ-૧
  • આખું બ્રહ્માંડ સ્વામિનારાયણનું ભજન કરશે ત્યારે સત્સંગ થયો, ને ત્યાં સુધી થાવો છે. ને મહારાજના મળેલા એક સાધુની કેડે લાખું માણસ ફરશે, ત્યાં સુધી સત્સંગ થાવો છે.

  • વાત-૯૧, પ્રકરણ-૧
  • જીવને ચોટવાનાં ઠેકાણાં બે જ છે: તે ભગવાનમાં ચોંટે નીકર માયામાં ચોંટે. પણ આધાર વિના કેમ રહેવાય ?

  • વાત-૯૨, પ્રકરણ-૧
  • જેમ નાતનો, નામનો અને ગામનો નિશ્વય થયો છે, તેમજ એવો અભ્‍યાસ કરે: જે ‘હું આત્મા છું, બ્રહ્મ છું, સુખરુપ છું, ભગવાનનો ભકત છું પણ દેહ તે હું નહિ, એમ કરે તો તે પણ થાય.

  • વાત-૯૯, પ્રકરણ-૧
  • રાજાના કુંવરને ઢેઢથી મરાય નહિ, તેમ ભગવાનના ભકતને માથે કાળ, કર્મ, માયા આદિક કોઇનો ભાર નહિ, જે તેને પીડી શકે.

  • વાત-૧૦૭, પ્રકરણ-૧
  • પોતાને જાણે બે માણસનું કામ કરે, તેથી પણ મોટાની આજ્ઞાએ કરીને બેસી રહે, અથવા કહે એટલું જ કરે એ શ્રેષ્ઠ છે.

  • વાત-૧૧૦, પ્રકરણ-૧
  • ભગવાન અને મોટા સાધુને આશરે કરીને તો વાદળ જેવાં દુ:ખ આવવાનાં હોય તે પણ ટળી જાય, ને સાધને કરીને તો કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે.

  • વાત-૧૧૫, પ્રકરણ-૧
  • કોટિ જન્મે કસર ટળવાની હોય તે આજ ટળી જાય, ને બ્રહ્મરુપ કરી મૂકે, જો ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો.

  • વાત-૧૨૦, પ્રકરણ-૧