રાગ : પ્રભાતી સિંધુડો
પદ-૧
ધીર ધુરંધરા શૂર સાચા ખરા, મરણનો ભય મનમાં ન આણે;
અર્વ ખર્વ દળ એક સામા ફરે, તૃણને તુલ્ય તેનેય જાણે. ૧
મોહનું સૈન્ય મહા વિકટ લડવા સમે, મરે પણ મોરચો નવ ત્યાગે;
કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા, એ દળ દેખતા સર્વ ભાગે. ર
કામ ને ક્રોધ મદ લોભ દળમાં મુખી, લડવા તણો નવ લાગ લાગે;
જોગિયા જંગમ તપસ્વી ત્યાગી ઘણા, મોરચે ગયે ધર્મદ્વાર માગે. ૩
એવા અરિ સૈન્ય શું અડીખમ આથડે, ગુરુમુખી જોગિયા જુક્તિત જાણે;
મુક્તાનંદ મોહ ફોજ માર્યા પછી, અખંડ સુખ અટળ પદરાજ માણે. ૪
પદ-ર
જ્યાં લગી જગત જંજાળ ઉરમાં ખરી, ત્યાં લગી સુરતા ચિત્ત નાવે;
જે જે વિચારીને જુક્તિત કરવા જશે, તે જ કાયરપણું નામ કાભવે. ૧
પરચો ઈચ્છે તેને પામર જાણવો, જન ન ઈચ્છવું જોગ્ય જાણે;
નિષ્કામ તે નારાયણ રૂપ છે, આશા ને તૃષ્ણા ઉરમાં ન આણે. ર
અક્ષર પર પુરુષોત્તમ શ્રીહરિ, તેહને સૂઝશે તે જ કરશે;
જન મતિમંદ અણ છતાં યભા થઈ, તાણતાં તાણતાં તૂટી મરશે. ૩
કેસરી બાળને ભય નહિ કોઈનો, મત્ત મેંગળતણાં જુથ ભાગે;
મુક્તાનંદ તે શિષ્ય સદ્ગુરુ તણા, જગતથી ઉલટી રીત જાગે. ૪
પદ-૩
મતવાલા તણી રીત મહા વિકટ છે, પ્રેમરસ પીએ તે જન જાણે;
મૂંડા તે શું જાણે મજીઠના પાડને, ભીખતાં જન્મનો અંત આણે. ૧
વર્ણ આશ્રમ તણી આડ મહા વિકટ છે, તે કેમ પાધરી વાત પ્રીછે;
શીશ અર્પ્યા વિના શ્યામ રીઝે નહિ, શીશ અર્પે જે કોઈ શરણ ઈચ્છે. ર
બાગ બગીચે પ્રેમ નવ નીપજે, દામ ખરચ્ચે નવ પ્રેમ પામે,
મસ્તક ધડામાં જે જન મેલશે, તે ઘટે પ્રેમ પ્રવાહ સામે. ૩
સુરનર મુનિ તણી ચાંચ ખૂંચે નહિ, ચૌદ લોકમાં એ અગમ સહુને;
મુક્તાનંદ એ અગમ રસ અતિ ઘણો, સદ્ગુરુ મોજથી સુગમ બહુને. ૪
પદ-૪
ન્નયાં લગી જાત ને ભાત જંજાળ છે, ત્યાં લગી આત્મા જાણ અળગો;
જેહને હરિ વિના અન્ય અળખામણું, સત્ય સ્વરૂપ નર તેહ વળગ્યો. ૧
યલટા અન્નની સેભજે ઈચ્છા ટળી, દેખતાં ઊબકો સૌને આવે;
તેહને જે ભખે મનુષ્યમાં નવ ખપે, શ્વાન સૂકર તણી જાત કાભવે. ર
ન્નયાં લગી દેહને હું કરી જાણશે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે;
શ્વાન સૂકર તે મનુષ્યમાંથી ટળ્યો, હરિ તણો જન તે કેમ કાભવે. ૩
હરિના જન તે હરિના ગુણે જુક્તત છે, મુક્તત તનનું નહિ માન જેને;
મુક્તાનંદ તે સંત જન સૂરમા, આપમાં વ્યાપ હરિ હોય તેને. ૪
પદ-પ
ભેખ ને ટેક વર્ણાશ્રમ પાળતાં, યલટો એ જ જંજાળ થાયે;
ગાડર આણીએ યનને કારણે, કાંતેલાં કોકડાં તે જ ખાયે. ૧
જે જેવો થઈ રહે સાર તેને કહે, એજ આવરણતણું રૂપ જાણો;
જેમ એ ધાલારી તેમ એ ધર્મરત, તેમાં તે શું નવલું કમાણો ? ર
તજે ત્રણ ઈષણા તેજ વિચક્ષણા, જહદાજહદનો મર્મ જાણે;
ભાગ ને ત્યાગનો ભેદ ગુરુમુખથી ગ્રહે, પિંડ બ્રહ્માંડ ઉરમાં ન આણે. ૩
એ જ સન્યાસ શ્રીપાત તેણે કરી, શ્રીતણું કૃત્ય નવ સત્ય દેખે;
ભિક્ષુક તો તે ખરા ભ્રમ મનનો તજે, સત્ય મુક્તાનંદ પ્રભુ પેખે. ૪
પદ-૬
મેલ મન તાંણ ગ્રહી વચન ગુરુદેવનું, સેવ તું રૂપ એ શુદ્ધ સાચું;
મન મત્ત થઈ કોટિ સાધન કરે, સદ્ગુરુ શબ્દવિણ સર્વ કાચું. ૧
જજ્ઞ જાગે કરી સ્વર્ગ સુખ ભોગવે, પુણ્ય ખૂટયે પડે નક્કી પાછો;
તીર્થ ને વ્રતતણું જોર પણ ત્યાં લગી, ગુરુગમ વિના ઉપાય કાચો. ર
અડસઠ તીરથ સદ્ગુરુ ચરણમાં, જાણશે જે જન હશે પૂરા;
મન કર્મ વચને મોહ મનનો તજી, ભજે પરબ્રહ્મ તે સંત શૂરા. ૩
મનનાં કૃત્ય તે મિથ્યા જાણી તન્નયાં, મન પણ અમન થઈ મળ્યું ત્યારે;
મુક્તાનંદ ગુરુ મર્મ છે વચનમાં, વચન વિચારીને જોયું ન્નયારે. ૪
પદ-૭
શૂર સંગ્રામને દેખતાં નવ ડગે, ડગે તેને સ્વપ્ને સુખ ન હોયે;
હય ગજ ગર્જના હાંક વાગે ઘણી, મનમાં ધડક નવ ધરે તોયે. ૧
અડગ સંગ્રામને સમે યભા રહે, અર્પવા શીશ આનંદ મનમાં;
ચાકરી સફળ કરવા તણે કારણે, વિકસ્યું વદન ઉમંગ તનમાં. ર
અકથ અલૌકિક રાજને રીઝવે, જે નર મનતણી તાણ મૂકે;
વચન પ્રમાણે તે વિપત્યે વર્તતાં, એક પગ ભર યભા જ સૂકે. ૩
એવાની આગળે મોહ દળ નવ નડે, ભાગતાં ભોમ ભારે જ લાગે;
મુક્તાનંદ તે શૂર સાચા વદે, જે ચાકરી કરી નવ મોજ માગે. ૪
પદ-૮
અવસર આવિયો રણ રમવા તણો, અતિ અમૂલ્ય નવ મળે નાણે;
સમઝવું હોય તો સમઝજો સાનમાં, તજી પ્રપંચ તક જોઈ ટાણે. ૧
મુનિ મન મઘ્ય વિચાર એવો કરે, મોહ શું લડે તે મર્દ કેવા ?
પાખરિયા નર કૈંક પાડયા ખરા, શૃંગી શશી સુરરાજ જેવા. ર
એવા તો કૈંકની લાજ લીધી ખરી, એક ગુરુદેવથી એ જ ભાગે;
તે ગુરુદેવ તો તાહરી કોર છે, જડમતિ તોય નવ બુદ્ધિ જાગે. ૩
કરી લે કામ ઝટ રટ રામ ઉતાવળો, ગુરુતણી મોજ ગોવિંદ મળશે;
મુક્તાનંદ એ વચનમાં મર્મ છે, મર્મ જાણ્યે મદ મોહ ટળશે. ૪
પદ-૯
ધાર તલવારની સોયલી ચપળ છે, વચનની ટેક તે વિકટ જાણો;
ભેખની ટેક તે વચનમાં નવ રહે, રહે તે પ્રગટ ભક્તિત પ્રમાણો. ૧
શૂરને એક પળ કામ આવી પડે, મરે કાં મોજ લઈ સુખ પામે;
સંત સંગ્રામથી પળ ન પાછો હઠે, મન દમવા તણે ચડે ભામે. ર
મનશું લડવા કોણ સામો મંડે, સુર નર અસુર સહુ હાર માને;
ગુરુમુખી શિષ્ય વિન રૂંઢ રણમાં ફરે, જગતનો શબ્દ નવ સુણે કાને. ૩
શૂર ને સંતમાં અંતર અતિ ઘણો, સૂરજ સંગ ખદ્યોત શોભા;
મુક્તાનંદ તે સંતની આગળે, મોહ ને મન કરે ત્રાહિ તોભા. ૪
પદ-૧૦
કર્મનું કૂટણું સકળ સંસારમાં, લખ્યું લલાટમાં તે જ થાશે;
શુભાશુભ ભોગ તે લખ્યા લલાટમાં, અલખ લખાઈ શું નામ જાશે. ૧
ભાગ્યમાં લખ્યા ભગવંત જો હોય તો, સાધન લેશ નવ ઘટે કરવું;
ભાગ્યમાં લખ્યું આણવાંછે આવી મળે, તેહને કાજ શું મથી મરવું? ર
સજનાતણો સંસ્કાર શો શુભ હતો ? ગીધ ગણિકા અજામેળ તેવા;
એવા અધમઓધારણ પ્રભુને પરહરી, કર્મ કર્તા રહે પશુ જેવા. ૩
કર્મની રેખ કર્મજડને શિરે ખરી, મર્મના જાણતલ ધર્મ પાળે;
મુક્તાનંદ ગુરુચરણને સેવતાં, બ્રહ્મ અગ્નિ સર્વે કર્મ બાળે. ૪