રાગ : ભૈરવી-પ્રભાતી –
પદ-૧
સ્વામિનારાયણનું સ્મરણ કરતાં, અગમ વાત ઓળખાણી રે;
નિગમ નિરંતર નેતિ કહી ગાવે, પ્રગટને પ્રમાણી રે. ટેક૦
મંગળરૂપ પ્રગટને મેલી, પરોક્ષને ભજે જે પ્રાણી રે;
તપ તીર્થ કરે દેવ દેરાં, મન ન ટળે મસાણી રે… સ્વામિ૦
કથા ને કીર્તન કહેતા ફ્રે છે, કર્મતણી જેમ કહાણી રે;
શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિનાના, પેટને અર્થે પુરાણી રે… સ્વામિ
કાશી કેદાર કે દ્વારકા દોડે, જોગની જુક્તિ ન જાણી રે;
ફેરા ફ્રીને પાછો ઘરનો ઘરમાં, ગોધો જોડાણો જેમ ઘાણી રે… સ્વામિ
પીધા વિના પ્યાસ ન ભાંગે, મર પંડ ઉપર ઢોળે રે પાણી રે.;
મુક્તાનંદ મોહન સંગ મળતાં, મોજ અમૂલખ માણી રે… સ્વામિ