રાગ : ભૈરવી-પ્રભાતી –

પદ-૧

સ્‍વામિનારાયણનું સ્‍મરણ કરતાં, અગમ વાત ઓળખાણી રે;

નિગમ નિરંતર નેતિ કહી ગાવે, પ્રગટને પ્રમાણી રે. ટેક૦

મંગળરૂપ પ્રગટને મેલી, પરોક્ષને ભજે જે પ્રાણી રે;

તપ તીર્થ કરે દેવ દેરાં, મન ન ટળે મસાણી રે… સ્‍વામિ૦

કથા ને કીર્તન કહેતા ફ્‍રે છે, કર્મતણી જેમ કહાણી રે;

શ્રોતાને વક્‍તા બેઉ સમજ્‍યા વિનાના, પેટને અર્થે પુરાણી રે… સ્‍વામિ

કાશી કેદાર કે દ્વારકા દોડે, જોગની જુક્‍તિ ન જાણી રે;

ફેરા ફ્‍રીને પાછો ઘરનો ઘરમાં, ગોધો જોડાણો જેમ ઘાણી રે… સ્‍વામિ

પીધા વિના પ્‍યાસ ન ભાંગે, મર પંડ ઉપર ઢોળે રે પાણી રે.;

મુક્‍તાનંદ મોહન સંગ મળતાં, મોજ અમૂલખ માણી રે… સ્‍વામિ