શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્

।। શ્રીહરિલીલામૃત ।।

અથ ગ્રંથોત્પત્તિર્નામઃ પ્રથમકલશ:

ઉદ્બોધન:શાર્દૂલવિક્રીડિતવૃત્તમ્:-

શ્રીમાનક્ષરનાયકોઽખિલગુરુઃ ષડ્ભિર્ભગૈઃ  સંયુતઃ, સર્વેશોઽખિલકારણં યદપરો નાસ્તીશિતા કોપિ વા;

લીનત્વં સમુપાગતેઽથ  નિખિલે માયાપરે પૂરુષે, સોઽસ્મિંસ્તિષ્ઠતિ મે શુભં ચ કુરુતાત્સ્વીયૈઃ સમં ક્રીડતિ. 1

શ્રીદિવ્યાંબરધારિણં જનમનઃસન્તોષવિસ્તારિણં, ભકતાશર્મવિદારિણં મનસિજવ્યામોહસંહારિણમ્;

ધર્મારિક્ષયકારિણં શ્રુતિમુનિત્યકતાક સંવારિણં, તં  ધ્યાયામ્યવતારિણં મુહુરહં શ્રીસ્વામિનારાયણમ્. 2

યોઽસંખ્યાસુભૃતાં નિજાક્ષરપદપ્રસ્થાપનાય ક્ષિતૌ, જાતઃ  પ્રાજયદયાસુધાર્દ્રહૃદયઃ  સ્વેચ્છાધૃતન્રાકૃતિ;

આત્મીયૈશ્ચરિતૈર્બહંશ્ચ સુખયન્ પ્રાણિવ્રજાન્ સાદરં, તં વન્દે સુમુદેષ્ટદેવસહજાનન્દાહ્વયં સ્વામિનમ્. 3

વિશ્વોત્પત્તિમુખક્રિયાસુ યમયન્પાદ્માંશ્ચવિષ્ણૂઞ્છિવાન્, સકતઃ કવાપિ ન તાસુ દિવ્યવિભવઃ કારુણ્યપૂર્ણેક્ષણઃ;

દેહ્યાત્મીયવિબોધિનીં તતમતિં  વાણીશિતા મે મુદા, સર્વેશોક્ષરધામનિ  સ્વકવૃતઃ  સંરાજસે ત્વં સદા. 4

દિવ્યાનેકગુ ણૈ કર ત્નસદનં સર્વાદિમીશેશ્વરં ;સચ્ચિત્સૌખ્યમયાકૃતિં તનુધરૈર્વેદૈઃ સ્તુતં સન્નતૈઃ;

નૈકબ્રહ્મશિવાદિગીતયશસં યસ્મૈ સુરાદ્યા  બલિં, સામન્તા ઇવ ચક્રવર્તિનમિહ  ધ્યાયેઽર્પયન્તિ પ્રભુમ્. 5

દોહરો:-

શ્રીપુરુષોત્તમ પ્રગટ પ્રભુ, ભુવન સકળના ભૂપ,

સહજાનંદ   સમર્થ હરિ,   નમો  મહામુનિરૂપ. 1

પ્રમાણિકાવૃત્ત:-

નમો   મહામુનીશ્વરં,   અધીશ્વરાધિ   ઇશ્વરમ્;

અનેક અંડકારણં,  સુધમર્- ધૂર્વ ધારણમ્ . 2

સદા   સુબોધદાયકં,   નમો   મુનીન્દ્રનાયકમ્;

કુપાત્રતાનિકંદનં,    ભજામિ    ભકિતનંદનમ્. 3

અધર્મતા  ઉચ્છેદનં,  ભવાબ્ધિ  ભીતિભેદનમ્;

સુશાસ્ત્રરીતિ-શોધનં,   યથાર્થબોધ-બોધનમ્. 4

સુમોક્ષમાગર્મંડનં , ખલત્વપંથખંડનમ્ ;

વ્રતાલયે વિરાજિતં,  ભજામિ  પૂર્ણભ્રાજિતમ્. 5

સુભકત-સંઘ  પૂજિતં,  ખગેશ કીર્તિકૂજિતમ્;

સદા   સ્વદાસપાલકં,   ભજામિ   ધર્મબાલકમ્. 6

અનંત    સંત    અર્ચિતં,    સુચંદનાદિચર્ચિતમ્;

સુપુષ્પહારશોભિતં,    સુગંધ-ભૃંગલોભિતમ્. 7

શિરઃકિરીટધારિણં,   નમામિ   કષ્ટહારિણમ્;

મનો ગિરા  ક્રિયા મુદા,  નમામિ સ્વામિનં સદા. 8

અહો  પ્રભુ સ્તુતિ  કરું,  સુ એટલી  ઇચ્છા  ધરું;

તવાંઘ્રિ ની  સ્મૃતિ  રહે,  વિહારીલાલજી  કહે. 9

ઉપજાતિવૃત્ત:-

રહો સ્મૃતિ અંતરમાં તમારી, અખંડ ઇચ્છા ઉર એ જ ધારી;

ચરિત્ર ચાહી ઉચરું તમારાં, સદા હરો સંકટ જે અમારાં. 10

વિઘ્નો નિવાર્યા વૃષ ભકિત કેરાં, હર્યા મુનીવૃંદ તણાં ઘણેરાં;

જે વિપ્ર હસ્તિતણું દાન લીધું, તેનું તમે પાપ નિવારી દીધું. 11

કૃત્યા થકી ભકત લીધો ઉગારી, તેવી રીતે પીડ હરો અમારી;

પરસ્પરે દૈત્ય લડી મરાવ્યા, એવી રીતે સંત સુખી કરાવ્યા. 12

ઘણા જનોનાં અતિ કષ્ટ કાપ્યાં, અહો કૃપાળો સુખ સદ્ય આપ્યાં;

ડુબી જતાં નાવ તમે જ  તાર્યા, સંભારતાં માણસને ઉગાર્યા. 13

મહી નદીમાં કરુણા કરીને, ઉગારી લીધા  રઘુવીરજીને;

સંભારતાં એમ જ સદ્ય આવો, અહો દયાળો દુઃખથી બચાવો. 14

નાજાશિરે જયાં જસદણ ભૂપે, કરી પ્રતિજ્ઞા થઇ  ક્રોધ રૂપે;

તમે જઇ દર્શન સદ્ય દીધું, તે ભકતનું સંકટ નાશ કીધું. 15

વડોદરામાં મુનિ મુકત જયારે, જીત્યા સભા જૈ નૃપ પાસ ત્યારે;

સહાયતા ત્યાં પણ સદ્ય કીધી, હૈયા વિષે અદ્ભુત હામ દીધી. 16

હતા શિશુ શ્રીભગવત્પ્રસાદ, પડ્યા રથેથી ઉપજયો વિષાદ

તમે જ તેને પણ ઝીલિ લીધા, ઘણા જનોને સુખી એમ કીધા. 17

આ ગ્રંથનો પંથ પુરો ન જાણું, આશા તમારી ઉર એક આણું;

વિઘ્નો બધાં દૂર કરો દયાળ, માગે મુખે એ જ વિહારીલાલ. 18

શાર્દૂલવિક્રીડિતવૃત્ત:-

વંદૂ રામપ્રતાપ  ભ્રાત  હરિના જે આપ  નિષ્પાપ  છે,

શ્રીસંકર્ષણ  જેહને જન  કહે એવા  જ  તે આપ  છે;

જેણે શ્રીહરિની સમીપ  રહિને લાવો લીધો છે ઘણો,

જેનામાં શુચિતા  તથા સુજનતા  સર્વે દિસે સદ્ગુણો. 19

ઇચ્છારામજી શ્યામના  અનુજ  જે તેને નમું નેહથી,

રૂડો  ઉત્તમ  ગ્રંથ  એહ  રચવા  જુકિત  જડે જેહથી;

જેના વંશ વિષે ધર્યો જનમ મેં એ પાસ માગું અહો,

શ્રદ્ધા જેવી  જણાઇ  ગ્રંથ  રચતાં તે અંત  સુધી  રહો. 20

દોહરો દ્વિઅર્થી:-

જનમ્યા  કૌશળ  દેશમાં,  દ્વિજાતિ  કુળમાં ધીર;

વિદેશગત  વધુ ભ્રાત  જુત,  વંદૂ તે રઘુવીર. 21

વસંતતિલકાવૃત્ત:-

જેને મહાપ્રભુજીએ પદ  આપ  આપ્યું, જેનું વિશેષ જનમાં યશ વિશ્વ વ્યાપ્યું;

જેણે પ્રસન્ન  પરિપૂર્ણ કર્યા હરિને, વંદૂ સદા    સદગુરૂ    રઘુવીરજીને. 22

આચાર્યધર્મ બહુ મર્મ સુકર્મ જાણે, સુજ્ઞાનવાન અભિમાન  ઉરે ન  આણે;

દેતા   વિશેષ  ઉપદેશ   કૃપા  કરીને, વંદૂ સદા    સદગુરૂ    રધુવીરજીને. 23

જેણે મને નિજ  કને રથમાં લઇને, કીધાં પ્રયાણ સુખ સૌ વિધિનાં દઇને;

દીધી  શિખામણ  સુધાસમ  ઉચ્ચરીને, વંદૂ સદા    સદગુરૂ    રઘુવીરજીને. 24

માલિનીવૃત્ત:-

હરિ ચરિત તણો છે જાણીયે ગ્રંથ જેહ, સુખકર  હરિલીલાકલ્પતર્વાખ્ય  તેહ;

રચિત  રસિક  જેણે પૂર્ણ પ્રેમે કરીને, વિનય  સહિત  વંદૂ શ્રીરઘુવીરજીને. 25

ભુજંગપ્રયાતવૃત્ત:-

કૃપાસિંધુયે મસ્તકે હાથ   થાપ્યો, દયા   આણીને ઉત્તરાખંડ   આપ્યો;

ઉરે એહના  સદ્ગુણો  આણી  યાદ, નમું પ્રેમથી    શ્રીઅયોધ્યાપ્રસાદ. 26

રચ્યું મૂળિમાં ધામ   ઉદ્દામ   જેણે, તથા   શ્રીછપૈયે કર્યું ધામ   તેણે;

દઇ  બોધ  સૌનો  મટાડ્યો  વિષાદ, નમું પ્રેમથી    શ્રીઅયોધ્યાપ્રસાદ. 27

શાર્દૂલવિક્રીડિતવૃત્ત:-

જે વીરો ત્રણથી કનિષ્ઠ વયમાં શ્રેષ્ઠત્વ વિદ્યા વિષે,

દેવાચાર્ય સમાન  થાય  ગણના  દક્ષત્ વ  એવું દિસે;

જેની  પંડિતતા  સદા  વિનયદા  દીઠી  નહીં  ગર્વદા,

સીતારામ  સુનામ  ધામ  ગુણના  વંદૂ મુદા  સર્વદા. 28

વંદુ શ્રીભગવત્પ્રસાદ  ભગવદ્ભકિતપ્રયુકતઃ  સદા,

શાસ્ત્રજ્ઞાનસમર્થ અર્થ સઘળા  જાણે જણાવે મુદા;

જેણે ગ્રંથ  રચ્યો રુડો  અતિ હરીલીલાપ્રદીપાખ્ય  છે,

શ્રીમદ્ભગવતોપરી  વળી  કરી  ટીકાન્વયાર્થાખ્ય  છે. 29

ગાંભીર્યાદિ ગુણો ન થાય  ગણના સૌજન્ય તા શી કહું,

કામ ક્રોધ  તથા ન  લોભ  મનમાં સંસાર  જાણે સહું;

દેવાચાર્યસમાન  શુદ્ધ  વચનો  મીઠાં મુખે ઉચ્ચરે,

વંદૂ શ્રીભગવત્પ્રસાદ  પિતરં જેનાથી  સ્વેચ્છા  સરે. 30

વસંતતિલકાવૃત્ત:-

ગોપાળજીતનુજ   કૃષ્ણપ્રસાદ   નામ, ભાષ્યાદિ કાવ્ય વળી શાસ્ત્ર તણા સુધામ;

ધર્માન્વયે રવિસમાન  વિરાજમાન, વંદૂ સદૈવ  સદબુદ્ધિ  તણા  નિધાન. 31

શિખરિણીવૃત્ત:-

મુકુંદાનંદાખ્ય પ્રગટ  પ્રભુના પૂજક સદા,

નમું તેને નિત્યે મહતગુરુ જાણી મનમુદા;

વિરાજે  વર્ણીન્દ્ર  પ્રમુખ હરિના સેવક  વિષે,

કૃપાકારી ભારી અનઘ અવિકારી દિલ દિસે. 32

નમું મુકતાનંદ પ્રભુપદ તણા સેવક સદા,

મહાશાસ્ત્રાભ્યાસી વ્યરથ ન ગુમાવે પળ કદા;

કરે વાર્તા જયારે સુરસરિત  ધારા સમ  વહે,

કુસંગી સત્સંગી સકળ જન ચિત્તે અતિ ચહે.33

સ્રગ્ધરાવૃત્ત:-

સાધ્યો અષ્ટાંગયોગ  પ્રગટ  હરિ તણી  પ્રીતિ માટે પ્રયત્ને,

શોધી વેદાંતતત્ત્વો સકળ ગૃહિ લીધાં જેમ સિંધુથી રત્ને;

આધિ વ્યાધિ ઉપાધિ પ્રણતજન તણી ટાળી કીધી સમાધિ,

ગોપાળાનંદ સ્વામી સકળગુણનિધિ વંદુ માયા અબાધિ. 34

જેને શ્રીભકિતપુત્રે નિજજન બહુના ઉપરી આપ કીધા,

બંને આચાર્યકેરા ઉપરી કરી વળી હાથમાં હાથ  દીધા;

જેનો સદ્બોધ પામી  વટપુરપતિયે સાર લીધો  ધરીને,

ગોપાળાનંદ  સ્વામી સકળગુણનિધિ  વંદુ પ્રેમે કરીને. 35

શાર્દૂલવિક્રીડિતવૃત્ત:-

બ્રહ્માનંદમુનિ  કવિ  અતિભલા  જે શીધ્ર કાવ્યો  કરે,

હેતે હાસ્ય  રસે હસાવી  હરિને ધ્યાને છબી તે ધરે;

જેને શ્યામ  સખાસમાન  ગણિને રાખે સમીપે સદા,

એવા  બ્રહ્મમુનિ  મુનીન્દ્ર  પદને વંદૂ જ  વંદૂ મુદા. 36

નિત્યાનંદ  મુનીન્દ્ર ચંદ્ર  પ્રણમું જે શાસ્ત્ર  સર્વજ્ઞ  છે,

જેણે શ્રીહરિ પાસ  શાસ્ત્ર  ઉચર્યા સર્વોપરી સુજ્ઞ  છે;

જેની ભકિત અભંગ  અંગ ગણિને રીઝ્યા મહારાજ  છે,

ટીકાઓ કરી શ્રેષ્ઠ શાસ્ત્ર ઉપરી પ્રખ્યાત  એ આજ  છે. 37

જેણે જીતી  સભા  અનેક  પુરમાં વિદ્વજ્જનોની  વડી,

દેવાચાર્ય સમાનતાની  ઉપમા  જેને જુઓ  છે જડી;

જે પ્રત્યક્ષ પ્રભુ તણી સુનવધા  ભકિતતણું પાત્ર  છે,

જેને એક અનન્ય ઇષ્ટ ઉરમાં શ્રીસ્વામિજી માત્ર  છે. 38

શિખરિણીવૃત્ત:-

સ્વરૂપે તો  પોતે ત્રિગુણપર  વૃત્તિ  ધરી  રહે,

કરે વાર્તા એવી  સુણી  કદી  નહીં  સંશય  રહે;

જુઓ  જીતી  જેણે મનમથ  અમર્ષાદિક  ચમૂ,

ગુણાતીતાનંદ    સકળ    ગુણકંદ    નમુ નમુ. 39

મને સત્સંગીના  નિયમ શુભ  આપી સુખી  કર્યો,

દયા આણી વાણી  વદિ શુભ  વળી સંશય  હર્યો;

કર્યો એવો    જેવો  વૃષકુળપતિને મન  ગમું,

ગુણાતીતાનંદ    સકળ    ગુણકંદ    નમુ નમુ. 40

સદા શ્રીજી પાસે રહી રહી રહસ્યો સુણી લિધાં,

દયા આણી વાણી  વદિ સુજનને જ્ઞાન જ દિધાં;

સદા    શાંતાકારં મહતગુણવંતં મુનિવરં,

શુકાનંદસ્વામી   પ્રણમું પ્રતિપન્ન  પ્રિયકરં. 41

શાર્દૂલવિક્રીડિતવૃત્ત:-

ભોળાનાથ ભલાજ  ભકત હરિના શાસ્ત્રી સુશાણા ઘણા,

રૈક  જ્ઞાતિ સુજાણ  શાસ્ત્ર  સઘળાં તત્ત્વજ્ઞ  તત્ત્વો  તણા;

સારો  શાંત સ્વભાવ  ભાવ પ્રભુમાં જે મુજ વિદ્યાગુરુ,

તેને નિત્ય  પ્રણામ  પ્રેમ  ધરીને બે હાથ  જોડી  કરું. 42

વૈતાલીયવૃત્ત:-

કરુણા શુભ  સંતની મળે, મનના સર્વ મનોરથો ફળે;

મુનિ  સૌ પદ વંદના કરું,  હરિલીલામૃત ગ્રંથ આદરું.

ઈતિ શ્રી વિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે મંગલાચરણનામ પ્રથમો વિશ્રામઃ ।।।।