(રાગ :- ધોળ) ‘મારી સાર લેજયો અવિનાશી રે’- એ ઢાળ.
જઈ કહી વિનતિ વિચારે રે, સુણી સર્વે સુંદરવર તે વારે રે;
કીધું છે કાંઈ જાદવકુળમાં જાણ રે, વાજે છે અનહદ નાદ નિશાણ રે. ।। ૧ ।।
માનિની તે મળીને મંગળ ગાય રે, ઉછરંગ આનંદ અંગે ન માય રે;
આવી સર્વે મળ્યો સખાનો જો સાથ રે, આજ્ઞા તેને આપે અનાથનો નાથ રે. ।। ૨ ।।
સજજ સર્વે થાઓ તે સખા સહિત રે, જાવું છે જાનમાં કરવી છે જિત રે;
કોઈ જો મ આવશો કાયર કાચા રે, દુઃખિયા દુર્બળ વળજયો પાછા રે. ।। ૩ ।।
બુઢા ને બાળક રહેજયો બેસી રે, દુર્મતિ દેખીને કરશે હાંસી રે;
જન બીજા અનેક મળીને જોશે રે, દુરમતિ વણ વાંકે વગોશે રે. ।। ૪ ।।
આપણ સહુ આનંદ માંહી રહેજયો રે, વચન તે કોઈને કટુ મ કે’જયો રે;
આવજયો અજિત સર્વે અંગે રે, નિષ્કુળાનંદના સ્વામીને સંગે રે. ।। ૫ ।।