દોહા :- મુકત કહે સુણો શુભમતિ, સત્ય વાત સમજીએ સાર ।।
કૃતઘ્નીના એ કામ છે, જે નંદે આગમ અવતાર ।। ૧ ।।
સતશાસ્ત્ર સુખદાયી છે, સમજાવે તે સત્ય અસત્ય ।।
તેને મિથ્યા કરી માનવું, એ જ આવી જાણવી કુમત્ય ।। ૨ ।।
શાસ્ત્ર કહે તે સત્ય છે, નથી અસત્ય તે અણુભાર ।।
નિશ્ચય પડશે નરકમાં, એની નિંદાના કરનાર ।। ૩ ।।
શાસ્ત્ર જે જે સૂચવે, તે કૂડું ન પડે કાંઈ ।।
ગ્રહણ પાંખે છે અસમાનમાં, તેહ સહુ દેખે છે આંઈ ।। ૪ ।।
ચોપાઈ :-
શાસ્ત્ર જણાવે સાર અસાર રે, શાસ્ત્રે કર્યો સહુ નિરધાર રે ।।
સતશાસ્ત્ર કહે છે સુરસુખ રે, તેહ પામ્યાં સારુ કરે મખ રે ।। ૫ ।।
શાસ્ત્ર કહે છે કૈલાસની વાત રે, સત્યલોકે સુખ કહે સાક્ષાત રે ।।
શાસ્ત્ર કહે છે વૈકુંઠ વખાણી રે, તેને પામવા ઇચ્છે છે પ્રાણી રે ।। ૬ ।।
શાસ્ત્ર કહે છે ગોલોકમાં ગુણ રે, શાસ્ત્ર વિના સમજાવે કુણ રે ।।
શાસ્ત્ર કહે છે અક્ષરધામ રે, તે સુણી સહુ કરે છે હામ રે ।। ૭ ।।
શાસ્ત્ર કહે છે શ્રીહરિનું સુખ રે, જે પામતાં રહે નહિ દુઃખ રે ।।
લોક અલોકમાં જે અગમ રે, તેની ગ્રંથ પડાવે છે ગમ રે ।। ૮ ।।
શાસ્ત્ર કહે છે સર્વેના સ્થાન રે, જને દીઠાં ન સાંભળ્યા કાન રે ।।
શાસ્ત્ર કહે છે કલ્યાણની રીત રે, શાસ્ત્રે થાય છે પ્રભુમાં પ્રીત રે ।। ૯ ।।
શાસ્ત્ર થકી સંત ઓળખાણ રે, શાસ્ત્ર થકી સમજણ જાણ રે ।।
શાસ્ત્રે કરી આવે છે સુબુદ્ધિ રે, શાસ્ત્ર વિના મતિ રહે ઊંધી રે ।।૧૦।।
શાસ્ત્ર મરજાદે સહુ છે સુખી રે, નહિ તો દેહધારી રહે દુઃખી રે ।।
દેવ દાનવ માનવ મુની રે, શાસ્ત્રે બાંધી મરજાદ સહુની રે ।।૧૧।।
એવી કેટલી વાતો કહેવાય રે, મોટો સતશાસ્ત્રનો મહિમાય રે ।।
તેમાં દોષ દેખાડે છે પાપી રે, તેની જોઈએ છીએ જીભ કાપી રે ।।૧૨।।
તે તો મરીને જમપુરી જાશે રે, ઘણી જમદૂતની માર ખાશે રે ।।
પડશે નરકના કુંડમાં તેહ રે, પાછો નહિ મળે મનુષ્યનો દેહ રે ।।૧૩।।
શાસ્ત્ર બા’ર વરતે છે જેહ રે, શાસ્ત્ર બા’ર પામે દેહ તેહ રે ।।
શ્વાન સૂકર ખર શિયાળ રે, તન તે પામશે તતકાળ રે ।।૧૪।।
ત્યારે ઓરતો થાશે જો એને રે, કહ્યા જેવું નહિ રહે કેને રે ।।
એમ દુઃખી રહેશે રાત દન રે, સત્ય માને મુમુક્ષુ તું મન રે ।।૧૫।।
વળી પૂછી તેં પ્રભુની વાત રે, તે પણ સુણી લેજયે સાક્ષાત રે ।।
કિયાં જીવ કિયાં જગદીશ રે, કિયાં ખદ્યોત કિયાં દિનેશ રે ।।૧૬।।
જે જે જગજીવનથી થાય રે, તે તો જીવથી ન થાય કાંય રે ।।
જોને પ્રભુ તણો પ્રતાપ રે, સહુ જાણે જગતમાં આપ રે ।।૧૭।।
જેની આજ્ઞાને શશી સૂર રે, નથી લોપતા જાણો જરૂર રે ।।
જેની આજ્ઞામાં સુરરાજ રે, મેઘ વરસાવે સહુ જન કાજ રે ।।૧૮।।
જેની આજ્ઞા ઉર વિચારી રે, ધરણી રહી છે લોકને ધારી રે ।।
જેની આજ્ઞામાં શેષ હંમેશ રે, ચૌદ લોક ધરી રહ્યા શીશ રે ।।૧૯।।
જેની આજ્ઞામાં વેલી વન રે, આપે ફળ દળ સમે સુમન રે ।।
જેની આજ્ઞામાં કાળ શકત રે, દિન રાત રહે છે ડરતી રે ।।૨૦।।
જેની આજ્ઞા માનીને મૃત્યુ રે, સદા સર્વદા રહે છે ફરતું રે ।।
જેની આજ્ઞામાં અજ ઈશ રે, હરખે કરી રહે છે હમીશ રે ।।૨૧।।
વળી દેહ ધરી કયાર્ં કાજ રે, તે તો કહેતાં ન કહેવાય આજ રે ।।
બહુ ધરી હરિ અવતાર રે, કર્યોે કંઈ જીવનો ઉદ્ધાર રે ।।૨૨।।
તેહ પ્રભુ તણી તડોવડ રે, થાવા જાય પાપી જીવ જડ રે ।।
જેને નથી શરીરની સાધ્ય રે, વળી વણતોળી વેઠે છે વ્રાધ્ય રે ।।૨૩।।
પડ્યો પરવશ પરાધીન રે, વર્તે એક એક આગે દીન રે ।।
રહ્યો અજ્ઞાનમાં અવરાઈ રે, ઘણો ઘનશ્યામનો ઘનાઈ રે ।।૨૪।।
તે જાશે મરી જમપુરી માંય રે,બહુ માર ખાશે મૂઢ ત્યાંય રે ।।
પછી નરકના કુંડમાં પડશે રે, પડ્યો કૈક કાળ લગી સડશે રે ।।૨૫।।
કર્મભોગે જો નીસરશે બા’ર રે, લેશે ભૂત પ્રેતના અવતાર રે ।।
ખાશે વિષ્ટા પેશાબને પીશે રે, એવું હરિ નિંદાનું ફળ લેશે રે ।।૨૬।।
એવું સુખ સાંભળીને કાન રે, થાવું હોય તો થાજયો ભગવાન રે ।।
એમાં જૂઠું નહિ પડે જરાય રે, સહુ માની લેજયો મનમાંય રે ।।૨૭।।
એવા પાપીનો સંગ જેને થાય રે, તેનો પણ જન્મ એળ્યે જાય રે ।।
કલ્યાણનું તો રહી જાય કયાંય રે, સામું પડે મહાદુઃખ માંય રે ।।૨૮।।
ફૂટ્યું નિરજળમાં જળઠામ રે, ટળી હૈયેથી જીવ્યાની હામ રે ।।
મળ્યા મારગે મમોઈગરા રે, પ્રાણીના પ્રાણ લેનાર ખરા રે ।।૨૯।।
એમ સમજી લેવું સિદ્ધાંત રે, સમજયાં વિના ભાંગે નહિ ભ્રાંત રે ।।
કહી વાત પૂછ્યા પ્રમાણ રે, હવે શું પૂછવું છે સુજાણ રે ।।૩૦।।
ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુકતમુમુક્ષુ સંવાદે ષષ્ઠો નિર્ણયઃ ।।૬।।